Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Test link
Posts

Three wheeler sahay yojana: થ્રી વ્હીલર વાહન ખરીદવા માટે ગુજરાત સરકાર આપશે ₹3,00,000 સુધીની સહાય, છેલ્લી તારીખ પહેલાં અહી અરજી કરો

Three wheeler sahay yojana gujarat : જો તમે થ્રી વ્હીલર વાહન ખરીદવા ઈચ્છો છો અને તમારી પાસે વાહન ખરીદવા માટે પૂરતા પૈસા નથી તો ચિંતા કરવાની જરૂર નથી કેમ કે ગુજરાત સરકાર દ્વારા થ્રી વ્હીલર વાહન ખરીદવા માટે અરજદારને ત્રણ લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે પરંતુ આ યોજનાનો લાભ માટે સરકારની કેટલીક શરતોનું પાલન કરવું પડે છે તો જો તમે આ યોજનાનો લાભ લેવા ઈચ્છો છો તો તમારે આ લેખ છેલ્લે સુધી વાંચવો જોઈએ જેથી આ યોજનાની જરૂરી માહિતી મળી જાય, તો ચાલો શરૂ કરીએ…

થ્રી વ્હીલર વાહન ખરીદવા માટે ત્રણ લાખની સહાય | Three wheeler sahay yojana gujarat

આ યોજના દ્વારા થ્રી વ્હીલર વાહન ખરીદવા માટે ત્રણ લાખની સહાય આપવા પાછળ ગુજરાત સરકારનો મુખ્ય હેતુ એ જ છે કે જે લોકો પાસે રોજગાર નથી તે લોકો થ્રી વ્હીલર વાહન ખરીદે અને તેના દ્વારા રોજગારી કરે, પરંતુ આ યોજનાનો લાભ લેવા માટે તમારે છેલ્લી તારીખ પહેલાં ઓનલાઇન ફોર્મ ભરવું પડશે જેની માહિતી નીચે મુજબ છે.

ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ

આ યોજનામાં ફોર્મ ભરવા ઈચ્છતા લોકોને જણાવી દઈએ કે આ યોજનામાં ફોર્મ ભરવાની શરૂઆત તારીખ 15/10/2024 ના રોજ થઈ ગઈ છે અને 30/10/2024 સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે. પરંતુ આ યોજનાનો લાભ એ લોકો જ મેળવી શકશે જે લોકો નીચે મુજબની શરતોનું પાલન કરે છે.

આ યોજના દ્વારા મળતા લાભ

  • આ યોજના દ્વારા લાભાર્થીને રૂપિયા ત્રણ લાખની લોન આપવામાં આવે છે.
  • હવે લોન છે એટલે વ્યાજ દર પણ હોય, તો વ્યાજદર વિશે જણાવી દઈએ કે આ લોન પર વાર્ષિક 3% નું વ્યાજ દર રાખવામાં આવેલ છે, જે ખૂબ ઓછું કહેવાય.
  • લોન અને વ્યાજદરની ચુકવણી એકસરખા 96 માસિક હપ્તામાં કરવાની રહેશે.

યોજનાનો લાભ લેવા માટેની શરતો

  • અરજદારની ઉંમર 18 વર્ષથી 50 વર્ષ સુધીની હોવી જોઈએ.
  • અરજદારના કુટુંબની આવક રૂપિયા છ લાખ કરતા વધારે ન હોવી જોઈએ.
  • જો અરજદારના કુટુંબમાં કોઈએ આ યોજનાનો લાભ લીધેલો છે તો આ યોજનાનો લાભ નહીં મળે.
  • જે વાહન ખરીદવા માટે લોન માટે અરજી કરી છે તે વાહનનું અરજદાર પાસે લાઇસન્સ હોવું ફરજિયાત છે.
  • અરજદાર કે અરજદારના કુટુંબમાં જો કોઈ સરકારી કે અર્ધ સરકારી નોકરી કરતું હશે તો તેઓને આ યોજનાનો લાભ નહીં મળે.
  • આ યોજનાનો લાભ મૂળ ગુજરાતના રેહવાસી છે અને અનુસૂચિત જાતિના છે તેઓને જ આ યોજનાનો લાભ મળવાપાત્ર છે.

ઓનલાઇન અરજી ક્યાં કરવી ?

જે અરજદારો આ યોજના દ્વારા ઉપર મુજબના લાભ મેળવવા ઈચ્છે છે અને ઉપર મુજબની શરતોનું પાલન કરે છે તેઓને તારીખ 30/10/2024 સુધીમાં https://sje.gujarat.gov.in/gscdc/ વેબાઈટન પર જઈ જરૂરી વિગતો અને દસ્તાવેજો અપલોડ કરી ઓનલાઇન અરજી કરવાની રહેશે.

જો તમારા કોઈ મિત્રને આ યોજનાની જરૂરિયાત છે તો તેને આ યોજના વિશે માહિતી માટે આ લેખ તેને જરૂર શેર કરજો તેમજ આવી જ રીતે નવી નવી સરકારી યોજનાની માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયા રહો, ધન્યવાદ.